છોટા ઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પ્રેરક ઉપસ્થિત માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ગરુડેશ્વર તાલુકા ના ભાણદ્વા ગામે ખેડૂતોને આયોજિત સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈપટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની યોજનાનો લાભ લઈને ખેડૂતમિત્રોના જીવનધોરણમાં સકારાત્મક બદલાવ આવ્યો.

ખેતીમાં ઓછા ખર્ચાળ ટપક સિંચાઈકુવારા સહિત તકનીકનો ઉપયોગ ખેડૂતો માટે શ્રેષ્ઠ પર્યાય છે. છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે WDC PMKSY 2.0 અંતર્ગત જિલ્લાના ૩૫ ગામોના ખેડૂતોને અદાતિરૂ. ૭૬.૬૫ લાખના સાધનોનું વિતરણ કરાયુ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના સહિતની અનેકવિધ યોજનાનો લાભ લેવા ખેડૂતમિત્રોને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અનુરોધ

છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના (વોટરશેડ કોમ્પોનેન્2.0) અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ખાતે ખેડૂતો માટે આયોજિત સાધન સહાય વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો.
આપ્રસંગે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ જણાવ્યું કે, પ્રત્યેક ખેડૂત ખુશહાલ અને સમૃદ્ધ બને તેવા વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરવા માટે પ્રધાનમત્રી કૃષિ સિંચાઈયોજના અંતર્ગત તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના કુલ 35 જેટલા ખેડૂતમિત્રોને કરવામાં આવેલા ખેતીવાડીના સાધન-સહાયનું વિતરણ સરકારશ્રી દ્વારા ખુબ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.
સાંસદશ્રીએવધુમાં ખેડૂતોને સરકારશ્રીની યોજનાકીયમાહિતીથી પરિચિત થઈને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવીને તેમની આવકમાં ઉત્તરોત્તર સુધારો લાવીને સૌ એક સાથે આગળ વધી રહ્યા છે તેમ ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન વસાવાએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના 2.0(વોટરશેડ કમ્પોનન્) અંતર્ગત ગામોમાં પ્રોડક્શન સીરમ અને માઇક્રોએન્ટરપ્રાઈઝ હેઠળ ખેતીવાડીનાસાધનોનો વિતરણ સમારભ કાર્યક્રમમાં સુખી અને ખુશહાલ જીવન માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ લેવા ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો હતો. આ વેળાએ જળ સ્ત્રાવપ્રોજેકટ ડાયરેક્ટરશ્રી એચ એસ પટેલે ખેડૂતમિત્રોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આજે આયોજિત કાર્યક્મમાં ઉપસ્થિતિમહાનુભાવોના હસ્તે અદાજિત રૂ. ૭૬.૬૫ લાખના ખર્ચે કુલ ૩૫ ગામોના મીની કલ્ટીવેર ૩૩, લાર્જ કલ્ટીવેર ૨૦, મીની રોટાવેટર ૩૪, લાર્જ રોટાવેટર ૧૮, એમ બી પલાઉ ૧૩ અને સો-પંપ ૨૬૩ એમ કુલ
૩૮૧ જેટલા ખેતીવાડીના સાધનો તેમજ પાક સુધારણ યંત્રોનું વિતરણ કરાયું હતું.
આ વેળાએ મીની કલ્ટીવેર અને મીની રોટાવેટર તેમજ સો-પપના લાભાર્થીશ્રી સુરેશભાઈએ સરકારશ્રી અને જિલ્લા વહિવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો
આપ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસીંગભાઈ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખશ્રી માગતાભાઈ વસાવા, જિલ્લા- તાલુકા પંચાયત સમિતિના પ્રમુખશ્રી-સભ્યશ્રીઓ જળસ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખશ્રી, સરપંચશ્રીઓ સહિત ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here