ગોધરા તાલુકાના આંગડિયા ગામે નવાણિયા ફળિયાથી ખેડબ્બાઈના મંદિર સુધી પ્રધાન મંત્રી રોડનું ખાતમુર્હત કરાયું…

ગોધરા,(પંચમહાલ) રાજેશ પટેલ :-

આજ રોજ ગોધરા તાલુકાના આંગડિયા ગામે વિકાસલક્ષી કામોમાં વધુ એક કાર્યને લીલી ઝંડી આપવામાં આવી હતી. આંગડોયા ગામમાં નવાણિયા ફળિયા થી ખેડબ્બાઈ ના મંદિર સુધીનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માસ અવસ્થામાં દેખાઈ રહેલો હતો જેને પ્રધાન મંત્રી યોજના હેઠળ આવરી લઈ સદર રોડનું ખાત મુર્હત કરાતા ગ્રામ્યજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

સદર શુભ કાર્ય સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગોધરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, તાલુકા પ્રમુખ સુનિતા બેન તેમજ જિલ્લા માજી પ્રમુખ સમર્સિંહ સાહેબ તથા એપી એમ શી ચેરમેન રાજુ ચોહાણ તેમજ આંગડિયા તાલુકા પંચાયત સભ્ય લીલાબેન મંગાભાઈ પટેલ તથા ડે .સરપંચ રાજુભાઈ તથા ઍ બી પરમાર સાહેબ મહુલિયા ના સરપંચ અનૌપસિંહ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here