રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા 4102 ઉપર પહોંચી
ગામડા ઓ માથી મોટા પ્રમાણ માં પોઝિટિવ દર્દી ઓ મળતા ચિંતા નો વિષય
નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે તેમાંય ગામડાઓ માથી વધુ પ્રમાણ મા પોઝિટિવ દર્દી ઓ નોંધાતા ચિંતા નો વિષય બનેલ છે.
નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક મેડીકલ ઓફિસર ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આજરોજ રવિવારે ૪૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સંતોષ નગર ૦૧ , એચ.પી. મહેતા કોમ્પલેક્ષ ૦૧, સોનિવાડ ૦૧, હરસિધ્ધિ નગર ૦૨, શક્તિવીજય ૦૧, નાદોદ તાલુકામાં રજપરા ૦૧, મંગરોલ ૦૧, રામપરા ૦૨, સીસોદ્રા ૦૧, નવાપરા ૦૧, કાંદરોજ ૦૧ ઉમરવા ૦૧, નાવરા ૦૧ કરાઠા ૦૧ ગરુડેશ્વર તાલુકામાં ભીલવસી ૦૨, કેવડિયા ૦૧ , નવા વાઘપુરા ૦૧, ભુમાલિયા ૦૧, ખડગડા ૦૨ ગરુડેશ્વર ૦૧ તિલકવાડા તાલુકામાં નાના ગોચરિયા ૦૨, તિલકવાડા ૦૫, વાઘેલી ૦૧, સાહેબપુરા ૦૨ , સેવાળા ૦૨ બુજેઠા ૦૪ સાથે જિલ્લામાં કુલ ૪૦ કોરોના પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૩૯ દર્દી દાખલ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે આજે ૫૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૮૩૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૧૦૨ એ પહોચ્યો છે.આજે વધુ ૧૨૮૩ સેમ્પલ ચકાસણી હેઠળ લેવાયેલા છે.