કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરમાં આગામી દિવસોમાં આવી રહેલ હોળી ધુળેટી નાં તહેવાર નિમિત્તે લોકોમાં શાંતી અને સલામતી નો સંદેશો આપવા અને લોકો ભયમુક્ત રીતે હોળી ધુળેટી પર્વ મનાવી શકે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ડી તરાલ અને પોલીસ સ્ટાફ સહિત સર્કલ પીઆઈ, નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, એસઓજી અને એલસીબી વિભાગના પોલીસ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતુ આ ઉપરાંત કાલોલ પીએસઆઈ દ્વારા બજારમા રસ્તા વચ્ચે માલસામાન કાઢતા વેપારીઓ અને લારીધારકો ને રસ્તો ખુલ્લો રાખવા સુચનાઓ આપી છે.