સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ગત શનિવારના રોજ સિદ્ધપુર એસટી ડેપોની બસ બરોડા થી અમદાવાદ ગીતામંદિર આવતા તે બસમાં પેસેન્જર સબીર ભાઈ ગામ દશાવાડાના વતની જેઓ સિધ્ધપુરની ટિકિટ લઈ બસમાં બેઠેલ હતા જયારે સિધ્ધપુર હાઈવે ઉતરતી વેળાએ તેઓ પોતે પોતાનો દસ થી બાર હજારનો સામાન બસમાં ભૂલી ગયા હતા બાદમાં તેમને જાણ થઇ કે અમૂક સમાન હું બસમાં ભૂલીગયો છું એમને એમ પણ થયુ કે કદાચ આ સમાન મને ક્યારેય પરત નહીં મળે હજી તો આવા વિચારો તેમના મનમાં આવતા હતાં તેજ ઘડીએ ફોનની રીંગ વાગી અને સામેથી વ્યક્તિએ પૂછ્યું કે તમે કંઈ સામાન્ ભૂલો છો ? બસ આ શબ્દો સાંભળતાની સાથે સાબિર ભાઈ ભાવવિભોર બનીજતા તેમની ખુશીનો પાર ન રહ્યો બસના કંડક્ટર મહેશ ભાઈની તકેદારી અને ડ્રાઈવર ભરતસિંહ બીલિયાની સમજદારીથી શબ્બીરભાઈનો તરતજ કોન્ટેક કરી તેમનો સામાન પરત કરેલ જે ખરેખર માનવતાની એને ઈમાનદારીની મિસાલ જોવા મળી હતી અને શબ્બીરભાઈ એ પણ ડ્રાઇવર અને કંડકટર બંનેનો આભાર માની કહ્યું હતું કે સલામત સવારી એસટી હમારી આવા ઘોર કળિયુગમા પણ ઈમાનદાર લોકો હોય છે જેનાથી માનવ સમાજ ટકીરહ્યો છે.