સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર શાખાનો સ્નેહમિલન કાર્યક્રમ ઉત્તર ગુજરાત ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ ઉર્વેશ ભાઈ પંડ્યા ની અધ્યક્ષતામાં યોજવવામાં આવ્યો હતો
સિદ્ધપુરના ઐતિહાસિક લાલપુર સ્થિત શ્રીલાલેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે 9 જાન્યુઆરી 2022 ને રવિવારના દિવસે સંસ્થાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્થાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગીત ગાન કરવામાં આવેલ હતું, ત્યાર બાદ સમાજમાં વિશિષ્ટ સેવાઓ આપવા બદલ સંસ્થાના સદસ્યોનું સન્માન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં સંસ્થા દ્વારા સંસ્થાની બહેનોનું હિમોગ્લોબીન ચેકિંગનો કેમ્પ પણ કરવામાં આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલ બહેનોનો હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવેલું હતો ત્યાર બાદ કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લીધા બાદ સૌ સદસ્યો છુટા પડ્યા હતા.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ પરીખ, ઉપ.પ્રમુખ ઉર્વેશ ભાઇ પંડયા, મંત્રી પ્રકાશભાઈ સ્વામી તેમજ ગૌરાંગભાઈ શુક્લા,નિલેશભાઈ ભટ્ટ,કલ્પેશભાઈ પંડ્યા, સંજયભાઈ શેઠ,વિપુલ પટેલ, કનુભાઈ પટેલ,રણજીત ચૌહાણ, કોકીલાબેન પટેલ,નીરૂબેન રાવ, ફાલ્ગુની પંડ્યા, પૂજાબેન શુક્લા, નીતાબેન પટેલ, મનીષાબેન પરીખ સહિત મોટી સંખ્યામાં સદસ્યો હાજર રહ્યા હતા.