અમદાવાદઃ, આરીફ દિવાન (મોરબી) :-
૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અહમદભાઈ પટેલનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જોતજોતામાં એ દુઃખદ ઘટનાને એક વર્ષ વીતિ ગયું છે. ગુરૂવારે તેમની પ્રથમ વરસી હતી આથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદમાં લાલદરવાજા સ્થિત ઐતિહાસીક સિદી સઈદની જાળીવાળી મસ્જિદ ખાતે જમાલપુર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ કૈયુમ કુરેશી દ્વારા કુનખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈકબાલ શેખ, હાજીભાઈ મિરઝા, ઈદેમિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના ચેરમેન રફીક નગરી સહિત મુસ્લિમ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મહૂમની મગફરત માટે દુઆ કરવામાં આવી હતી.