શ્રી વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરૂ પૂર્ણીમાંની અનોખી રીતે ઉજવણી

રાજકોટ,(જયેશભાઇ માન્ડવીયા :-

ગત તારીખ 18/07/2021 ના રોજ શ્રી વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ગુરૂ પૂર્ણીમાં ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ જેમાં શ્રી વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઑ દ્વારા ગુજરાતનાં પનોતા પુત્ર શ્રીમાન કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયાના ગામ અમરાપુર ખાતે જઈને તેમને સારા કાર્ય માટે સન્માનીત કરવામાં આવ્યા હતા.
અને તેઓની પોતાની આગવી સૂઝ-બૂઝ અને અપાર નિર્ણય શક્તિ અને વિના ભેદભાવે સેવાકીય કાર્યો પ્રદાન કરવાની મન મસ્તીસ્ક ની અંદર મહેચ્છા રાખનારા અને તેને સાર્થક કરવામાં સફળ થઈ પારંગત ઉતરેલા અને લોકોના દિલ પર પોતાની ઉત્તમ કાર્યશૈલી ની સદાને માટે અનેરી છાપ બેસાડનાર એવા પ્રખર સેવાભાવી અને સુગમ અને સરળ સ્વાભાવનું વ્યક્તિત્વ ધરાવનાર કેબીનેટ મંત્રી શ્રી અને જેનું ગુજરાતના રાજકારણમાં ગર્વભેર નામ લેવામાં આવે છે તેવા શ્રીમાન કુવરજીભાઈ મોહનભાઇ બાવળીયાને સેવાકીય કાર્ય ના ગુરુપદે માનીને પ્રમાણપત્ર અર્પણ કરીને સાહેબશ્રી ના આશીર્વચન મેળવીને ટ્રસ્ટ વિષેની યોગ્ય ગાઈડ-લાઈન મેળવી સૌ ટ્રસ્ટીઓ એ સેવા,સમર્પણ,ત્યાગ,અને માનવ સેવા એજ પ્રભુસેવાના જયઘોષ સાથે ગૂરૂ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ શ્રી શર્મા દીપકકુમાર ,તથા આશિતભાઈ પાંડે,તથા રાઠોડ રાજીવભાઈ,તથા વિશ્વકર્મા સીમાબેન ,પટેલ મહેન્દ્રભાઈ, પરિહાર સંજયભાઈ, માંડવિયા જયેશભાઈ, વગેરે મહાનુભાવોએ આ પ્રસંગનો લાભ લઈ સૌ કોઈ કૃતાર્થ થયા હતા.
શ્રી વાસુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી આશિતભાઈ પાંડે એમની યાદિ માં જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here