શહેરા : શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઈસ્કુલમા શહેરાના પી.આઈ. શ્રી આર.કે રાજપૂતે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક્ માર્ગદર્શન આપ્યું…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગત રોજ શહેરાની અગ્રણ્ય શાળા શ્રીમતી એસ જે દવે સાર્વજનિક હાઈસ્કુલમા શહેરાના પી.આઈ. શ્રી આર .કે રાજપૂત સાહેબે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ભવિષ્યને લઈને પ્રેરણાત્મક્ સ્પીચ આપી હતી.
પી.આઈ શ્રી આર.કે. રાજપૂત સાહેબે દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓને સરળ અને સફળ રીતે સમજુતી આપી જણાવ્યું હતું કે સંસારમાં પડતી મુશ્કેલીઓની સામે કઈ રીતે સામનો કરવો અને જીવનમાં કઈ બનવું હોય તો ધ્યેય્ નક્કી કરો, કલ્પનાઓ કરો અને પ્લાંનિંગ કરો ટાઈમ ટેબલ બનાઓ ત્યારબાદ પોતાના લક્ષ્ય ને ધ્યાનમાં રાખી આગળ વધો, દરેક વખતે સમય સરખો નથી હોતો.. અને કોઈ પણ વસ્તુ સદા માટે નથી રહેતી, આજે અંધકાર છે તો કાલે ફરી એક સુવર્ણ કિરણ જન્મ લેશે જેથી દ્રઢ નિર્ણય પૂર્વક ધાર્યા મુજબનું કાર્ય કરતું રહેવું એજ મોટી સફળતા છે.
આ કાર્યક્રમમા લગભગ ૫૦૦ વિદ્યાર્થિઓ હાજર રહ્યા હતા શાળાના કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેસાઈ અને શાળાના પ્રિન્સિપાલ વી.એસ.પાઠક્ સાહેબે ઉપસ્થિત સૌ કોઈનો ખુબ ખુબ આભાર માન્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here