શહેરા તાલુકાના ખાંડીયા ગામે સંકલ્પ યાત્રાના રથનું ઉમંગભેર સ્વાગત કરતા ગ્રામજનો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના ૭ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનો રથ શહેરા તાલુકાના ખાંડીયા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખાંડીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકારશ્રીની ૧૭ યોજનાઓ અંતર્ગત બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રદર્શન થકી લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી અપાઈ હતી.ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા.આ તકે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ તરફથી ટી.બી રોગનું સ્ક્રીનીંગ કરાયું હતું. આ સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા.આ તકે લાભાર્થીઓએ ઘર આંગણે જ વિવિધ લાભ મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ યાત્રા દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુંજીબેન,જિલ્લા અગ્રણી શ્રી જીજ્ઞેશભાઈ પાઠક,શ્રી મગનભાઈ પટેલિયા,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,રેન્જ ફોરેસ્ટશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here