વેજલપુર સ્વામિનારાયણ મંદિરે સુવાસીની મહિલા મંડળ વેજલપુરદ્વારા દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર મોટી કાછિયાવાડ માં આવેલ સ્વામિનારાયણ મંદિરે સુવાસની મહિલા મંડળ વેજલપુર દ્વારા ભવ્ય અને દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા યોજવામાં આવી આ નિમિત્તે તારીખ 30.12.23.ના રોજ ભજન સત્સંગ અને રાસ ગરબા નો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 31 .12 .2023. ના રોજ સ્વામિનારાયણ મંદિર વેજલપુરના શાસ્ત્રી શ્રીઅક્ષર વિહારી સ્વામી દ્વારા શાકમા વિવિધ પ્રકારના મસાલાઓતેમજ રીંગણ નાખી તેઓના હસ્તે વઘાર કરવામાં આવ્યો હતો અને સાકોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી આ સાકોત્સવ અગાઉ સાજના પાંચ કલાકે ધામો‌ધામ થી પધારેલ સંતોના મુખેથી દિવ્ય વાણી અને સાકોત્સવ ના મહત્વ અંગે સત્સંગ સભા યોજવામાં આવી હતી. ત્યારબાદ સાકોત્સવ ના મહાપ્રસાદ નું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાંગામ અને વિવિધગામના સત્સંગી ભાઈ બહેનોએ મહાપ્રસાદ આરોગી પોતાને ધન્ય અનુભવ્યા હતા.
‌‍‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here