રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
સાંસદ મનસુખભાઈ વસાવા, ગીતાબેન રાઠવા , ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલ સહિત ના આગેવાનો એ વૃક્ષારોપણ કર્યુ
આજરોજ વિશ્રવ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો એ સમગ્ર જીલ્લા મા પર્યાવરણ ની જાળવણી અર્થે ઠેરઠેર વૃક્ષારોપણ ના કાર્યકર્મો કર્યા હતા.
રાજપીપળા ખાતે ની રાજેન્દ્ર નગર સોસાયટીમાં આવેલા મકાનો ના સામે રસ્તા ની બન્ને બાજુ એ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતી છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા , ભરુચ સાંસદ મનસુખભાઈ વસાવા , નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ , સહિત નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિહ ગોહિલ સહિત ના આગેવાનો એ એ વિવિધ પ્રકારના વૃક્ષો વાવ્યા હતા, અને વૃક્ષો નુ સારી રીતે જતન થાય એ માટે ટી ગાર્ડ પણ લગાવ્યા હતા. આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે આજરોજ વિશ્રવ પર્યાવરણ દિવસ હોય ને પર્યાવરણ ની જાળવણી કરવા માટે વૃક્ષો નુ અતિ મહત્વ હોય ને ભારતીય જનતા પાર્ટી ના માધ્યમ થકી લોકો વૃક્ષો ના વાવેતર માટે તેના જતન માટે જાગૃત થાય એવા શુભ આશયથી વૃક્ષારોપણ ના કાર્યકર્મો હાથ ધરવામાં આવેલ છે.
વૃક્ષારોપણ ના રાજેન્દ્રનગર સોસાયટીમાં યોજાયેલ કાર્યક્રમ મા ભાજપા અગ્રણી પંકજભાઇ વ્યાસ, કમલેશભાઈ પટેલ , નગરપાલિકાના સદસયો વિરેન્દ્રસિંહ , પરિમલ રામી , ગીરીરાજસિંહ ખેર સહિત ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.