રોટરી ક્લબ , ગોધરા દ્વારા નારી કેન્દ્રમાં વૃક્ષારોપણ તેમજ બિસ્કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગોધરા, (પંચમહાલ) ડો. સતીષ નાગર :-

આજ રોજ તારીખ 4 /08/23 સવારે10 વાગે થી રોટરી ક્લબ ગોધરા દ્વારા નારી કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમ શરૂઆત પ્રાથના દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં રોટરી કલબ ચેરમેન શ્રી ડૉ રમાકાંત પંડ્યા ,સચિવ ડૉ સતીશ નાગર, ખજાનચી ભવાની ભાઈ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.જેમાં 60 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ આજના ચાલી રહેલા વધતા તાપમાન ગ્લોબલ વોર્મિંગની વધતી ખરાબ અસર અને અને વેશ્વિક તાપમાન નિયંત્રણ માટે વૃક્ષારોપણનો કાર્યકમ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં રોટરિયન અને નારી કેન્દ્રનું સ્ટાફ ઉપસ્થિત હતા જેમાં મુખ્ય શ્રી એ સી બારીયા , ડૉ. મુકેશ ચૌહાણ, ડૉ શ્યામ સુંદર શર્મા ,ડૉ વિપુલ પટેલ અને નારી કેન્દ્ર અધિક્ષક લક્ષ્મી બેન હતા. કાર્યક્રમના અંતે નારી કેન્દ્રમાં બિસ્કિટનું વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન રોટરિયન શ્રી પ્રકાશ ભાઈ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here