રાજ્યની મહાન.પાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત પૂર્ણ થતાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોની રોજબરોજની કામગીરી વહન કરશે…

ગોધરા,(પંચમહાલ)

સામાન્ય ચૂંટણીઓ બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળતાં સુધી સંબંધિત મહાપાલિકાના કમિશનરોને રોજબરોજની કામગીરીની જવાબદારી સોપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત તા.૧૩ ડિસેમ્બર-ર૦ર૦ના પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં સુધી આ મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરોને આવી મહાનગરપાલિકાની રોજબરોજની કામગીરી વહન કરવાના આદેશો કર્યા છે.
તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ આવી રોજિંદી કામગીરી સંભાળશે. આ સમય દરમ્યાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી.
આ ૬ મહાનગરોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળે નહિ ત્યાં સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ રોજબરોજની કામગીરી વહન કરશે તેમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here