નર્મદા જીલ્લાના ખોપી ગામના તમામ ઘરોને પાણી મળે તે માટે પાણી પુરવઠા તથા વાસ્મો વિભાગ દ્વારા આયોજન કરાયું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સાગબારા તાલુકાના ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાયેલું સુચારૂં આયોજન

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના બે ફળીયામાં પીવાના પાણીની સમસ્યા વર્તાઇ રહી છે ત્યારે આ સમસ્યા અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે માટે સાગબારા ડેડીયાપાડા જુથ પાણી પુરવઠા યોજનામાં ખોપી ગામનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમા ગામ સુધી સમ્પમા પાણી પુરુ પાડવાની જોગવાઈ હતી જેમા સમ્પની નજીકના વિસ્તારમા આવેલ હયાત મીની યોજનાને જોડી યોજનાનો લાભ ગ્રામજનોને મળે તે મુજબ પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ ગ્રામજનો મેળવી રહ્યા છે.

ખોપી ગામના ટેકરા ફળીયા વિસ્તાર-ઉચાણ સદર યોજનામાં જોડાયેલ નથી તેજ પ્રકારે સાગબારા તાલુકાના બાકી રહેતા ફળીયાઓને યોજનાથી જોડવા સાગબારા ફળીયા કનેક્ટીવીટી યોજના મંજુર કરવામાં આવેલ છે, જેના ટેન્ડરને તા.૦૨/૦૭/૨૦૨૧ થી મંજુરી મળેલ છે. જે યોજના અંતર્ગત ખોપી ગામના ટેકરા ફળીયાને યોજનાથી જોડતી પાઇપલાઇન નાંખી ટુંક સમયમા પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત ખોપી ગામના તમામ ઘરોને પાણી મળે તે માટે ‘જલ જીવન મિશન’ અંતર્ગતની હર ઘર જલ યોજનામાં આવરી લેવામાં આવેલ છે. જેના મારફત ગામના તમામે તમામ ઘર સુધી પાઇપલાઇન મારફત પીવાનુ શુધ્ધ પાણી પુરુ પાડવાનુ આયોજન કરવામાં આવેલ છે. ખોપી ગામની હરઘર નલ યોજનાને અંદાજીત કિંમત ૮૭ લાખ માટે જીલ્લા જળ સમિતીની બેઠકમા મંજુરી આપવામાં આવેલ છે તથા સદર યોજનાની કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે. આમ ખોપી ગામની પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તે મુજબ પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા આયોજનબધ્ધ રીતે કાર્યવાહી હાથ ધરાયેલ હોવાનું પણ કાર્યપાલક ઈજનેરે જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here