રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
પોઝિટિવ દર્દીઓને કસરત કરાવી ઓકસીજન વધારવાનો પ્રયાસ
રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓનુ ઓક્સિજન લેવલ જળવાઈ રહે અને ઓક્સિજનની જરૂર ઓછી પડે તે માટે દરદીઓને કાઉન્સિલીગ તથા હળવી કસરત અને પ્રોનીગની સ્થિતિમાં ઉંડા શ્વાસ લેવડાવી અને સંગીત સંભળાવી મનોરંજન કરાવવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલ સત્તાવાળાઓ ના આ નવતર પ્રયોગ થી દર્દીઓ રાહત અનુભવી માનસિક તાણ માંથી મુક્ત થઈ રહ્યા છે.અને કોરોના ની મહામારી માથી હેમખેમ બહાર નીકળી સવસથ થતા આનંદ અનુભવી રહયા છે.