મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતા બ્રિજેશ મેરજા

મોરબી, આરીફ દિવાન :-

રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો કરાવી રહ્યા છે તે અંતર્ગત આજે મોરબી શહેરમાં વધુ ચાર સોસાયટીઓના રોડનું ખાત મુર્હુત કર્યું હતું. જેમાં (૧) હીરાસરી રોડ અને અવનિ ચોકડી થી ચોકિયા હનુમાનજી મંદિર સુધી (૨) ત્રિકોણ નગર સોસાયટી, કેનાલ રોડ (૩) ન્યુ મારુતિ નગર, વાવડી રોડ, (૪) ધર્મ સૃષ્ટિ સોસાયટી, બાયપાસ રોડ નો સમાવેશ થાય છે. આ તકે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, નગરપાલિકાના પ્રમુખશ્રી કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દેવાભાઇ અવાડિયા, કાઉન્સિલરશ્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કામ અંદાજે રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here