મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાવાગઢની લીધી મુલાકાત, માતાજીના દર્શન કરી, ધ્વજારોહણ કર્યું

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષો પછી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે ઐતિહાસિક સ્થળ પાવાગઢ ખાતે મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી ( કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, આપત્તિ વ્યવસ્થાપન ) એ મુલાકાત લીધી હતી તેમણે માતાજીના દર્શનની સાથે ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપીને આજે સાતમા નોરતાના દિવસે માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાઈ હતી. સમગ્ર રાજ્યમાં શકિતપીઠ પાવાગઢ સ્થળનું આગવું મહત્વ છે. આજે હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. આ સાથે મંત્રીશ્રીએ પાવાગઢ ટ્રસ્ટના મહાનુભાવો સાથે સુચારુ ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here