ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
જિલ્લામાં કુલ ૨૮ સક્રિય કેસો રહ્યા
કુલ કેસનો આંક ૩૯૪૩ થયો, કોરોનાને પછડાટ આપી ૩૭૭૫ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં કોરોનાને લગતા એક સુખદ સમાચારમાં આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે ૮ દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૨૮ થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૮૮૪ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૫૯ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૭૭૫ થવા પામી છે