છોટાઉદેપુર હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા મૃતક પીએસઆઇની બદલીનો ઓર્ડર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર હેડ કવાર્ટર ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેઓ નું પાંચ માસ પહેલા મોત થયું હતું ક્યારે ગૃહ મંત્રાલય દ્વારા ૯૯ પીએસઆઇ બદલીમાં તેઓનું નામ મૂક્યું અને છોટાઉદેપુર થી મહીસાગર જિલ્લા ખાતે બદલી કરી મૃતક પીએસઆઇને બદલીનો ઓર્ડર થતા તેમના પરિવાર પણ વિચારમાં પડી ગયા હતા છોટાઉદેપુર ખાતે હેડ કોવટર ખાતે બિન હથીયારી પીએસઆઇ ગોપાલભાઈ ભલીયા ભાઈ રાઠવા ફરજ બજાવતા હતા તેમનું મૂળ વતન પાવીજેતપુર તાલુકાના વદેસીયા ગામના વતની હતા કેવો ફરજ બજાવતા હતા અને ફરજ દરમિયાન ૧૬/૪/૨૦૨૨ ના રોજ મૃત્યુ પામ્યા હતા ત્યારે તારીખ ૨૭/૯/૨૦૨૨ ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા ૯૯ બિન હથિયારી પીએસઆઇ નો ઓર્ડર કરવામાં આવ્યો જેમાં ૮૮ નંબર ક્રમ ઉપર મૃત્યુ પીએસઆઈ નું નામ લખવામાં આવ્યું હતૂ ત્યારે હાલ ગૃહ મંત્રાલયનો અંધેર વહીવટ નો નમુનો બહાર આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here