બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ જાગે તેવા આશય સાથે આજે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા શ્રી ઈમ્તિયાઝ શેખ ની અધ્યક્ષતામાં બોડેલી પોલીસ સ્ટેશનના પટાંગણમાં લોકસંવાદ યોજાયો હતો ત્યારે બોડેલી સીપીઆઈ એસ.બી.વસાવા, પીએસઆઇ વી.આર.ચૌહાણ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.લોકસંવાદ કાર્યક્રમમાં બોડેલી અલીપુરા અને ઢોકલીયા નગરના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી નગરમાં સ્થાનિક લોકોને પડતી કેટલીક મુશ્કેલીઓ ની રજૂઆત કરી હતી. સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ થાય અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ જાગે તે હેતુથી પ્રયાસ કરાયો હોવાનું જણાવતા જિલ્લા પોલીસ વડા શ્રી ઇમ્તિયાઝ શેખે
જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું કહી મળેલ રજૂઆતો વહેલી તકે નિકાલ કરવામાં આવશે એવી હૈયાધારણ આપી હતી.