બોડેલી તાલુકાના વાંટા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદીયાના અધ્યક્ષસ્થાને શાળાના આચાર્ય અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના વાંટા ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદીયાના અધ્યક્ષસ્થાને શાળાના આચાર્ય અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો આચાર્ય પ્રવિણસિંહ સોલંકીએ સૌ પ્રથમ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી વાંટા સરસ્વતી વિદ્યાલયમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા બજાવતા પ્રિન્સીપાલ પ્રવિણસિંહ સોલંકીએ વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા હોય તેમના વિદાય સમારંભ દરમિયાન ગામના આગેવાન નારાયણસિંહ વાસદિયા, અર્જુનસિંહ વાસદિયા,રાહુલસિહ વાસદિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત શાળા પરિવાર, મિત્રોએ ફુલહાર,શાલ, શ્રીફળ ભેટમાં આપી સન્માનિત કયૉ હતા પ્રકાશસિંહ વાસદીયાએ  ધોરણ દશના વિદ્યાર્થીઓને આશિવૉદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી(ફોટો વિગત): વાંટા ગામની સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here