બીડ ફળીયા પ્રા.શાળા ખાતે અણીયાદ ક્લસ્ટરના પ્રજ્ઞા શિક્ષકોનો રિફ્રેશમેન્ટ વર્કશોપ યોજાયો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના અણીયાદ ક્લસ્ટરમાં આવેલી બીડ ફળિયા પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં પ્રજ્ઞા શિક્ષકોનો રિફ્રેશમેન્ટ વર્કશોપ યોજાયો. સ્વાગત પ્રવચન અજમાન શાળાના આચાર્ય દોલતસિંહ કાળુભાઈ પગી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પ્રજ્ઞા શિક્ષકોની વર્તમાન કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવી પ્રાસંગીક માર્ગદર્શન આપ્યું હતું. અણીયાદ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકી દ્વારા પ્રજ્ઞાના પાયાના સિદ્ધાંતો, ચાર જૂથ, સમુહ કાર્ય – 1, સમૂહ કાર્ય – 2 ની પ્રવૃત્તિઓ, વ્યક્તિગત કાર્ડ શિક્ષણ, રમે તેની રમત, ગુજરાતી – ગણિત સ્વાધ્યાય પોથી, પ્રગતિ માપન રજીસ્ટર, D1, D2, D3, D4 વગેરે પત્રકો, વર્ગ શુશોભન વગેરે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પ્રજ્ઞા બી.આર.પી.નરેન્દ્રભાઈ બારીઆએ પણ પ્રજ્ઞાની ખૂટતી કડીઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. અણીયાદ પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ, ગુણેલી સી.આર.સી.કો.ઓર્ડીનેટર નટવરસિંહ ચૌહાણ તેમજ ક્લસ્ટરની તમામ શાળાઓના પ્રજ્ઞા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ યજમાન શાળાના પ્રજ્ઞા શિક્ષક શ્રીમતિ ઉષાબેન રાયસિંગભાઈ ડાભીનું સન્માન કરી શહેરા શિક્ષણ પરિવારની ઉત્કૃષ્ઠ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. માર્ગદર્શન વર્કશોપ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here