કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
કાલોલ ખાતે ૧ જુલાઈ, રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી ડોક્ટરોને શુભેચ્છાઓ પાઠવી કોરોના સમયમાં દિન રાત ખડે પગે કરેલ કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યા, યુવા અધ્યક્ષ વાઘા ભાઈ ભરવાડ, અમીતભાઈ શેઠ વિગેરે હાજર રહ્યા.ડોકટરો નુ આ વર્ષ એવું છે જ્યાં આપણે તેમને આપણા વાસ્તવિક જીવનના રિયલ હીરો તરીકે જોયા છે. ડૉક્ટર દિવસ એ નિઃસ્વાર્થ યોગદાન માટે તેમનો આભાર માનવાની તક છે. તેઓ દર્દીઓની સેવામાં ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. કારણ કે વિશ્વ આ રોગચાળાથી ગ્રસ્ત છે.તેમજ કોરોનાકાળ દરમિયાન સૌથી મહત્વની ભૂમિકા તરીકે ડોક્ટરોએ ભજવી હતી. કોરોના સંક્રમણના કારણે જે ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે લોકોના જીવ બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.