ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે કચ્છના કલેકટર સુશ્રી ડી.કે. પ્રવિણાની નિયુક્તિ કરવામાં આવી હતી, જિલ્લાના પૂર્વ કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ગતરોજ પંચમહાલ જિલ્લાનો કલેકટર તરીકેનો ચાર્જ છોડવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર સુશ્રી ડી કે પ્રવિણા દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળવામાં આવ્યો હતો. આમ, નવનિયુક્ત જિલ્લા કલેકટર સુશ્રી ડી કે પ્રવિણા દ્વારા પંચમહાલ જિલ્લાની વિકાસયાત્રાને આગામી સમયમાં આગળ ધપાવવામાં આવશે.