કાલોલમા બોરૂ ટર્નિંગ હાઈવે રોડ પર બાઈક અને એસટી વચ્ચે આઘાતજનક અકસ્માત બાઈક ચાલકનુ ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલમા આવેલ બોરૂ ટનિવૅગ હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે આઘાતજનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક રમેશભાઈનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું છે.પોલીસે એસ.ટી.બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ માહિતી મુજબ: કાલોલ તાલુકાના બોરુ ગામમા રહેતા રમેશભાઈ માનાભાઈ વણકર આજે અંદાજિત દસ એક ના સમય પર પોતાનો મોટરસાયકલ લઈને કાલોલ જીઆઇડીસી માં આવેલ ક્રિષ્ના કંપનીમાં નોકરી પર ફરજ બજાવવા જતા દરમિયાન કાલોલ વિસ્તારમાં આવેલ બોરુ ટનિવૅગ હાઇવે રોડ ક્રોસ કરતાં હાલોલ તરફથી કાલોલ તરફ આવતી એસટી બસ પૂરપાટ ઝડપે આવી રહેલી બસ ચાલકે બાઇકને અડફેટમાં લેતા અગલા ટાયરમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બાઇક ચાલક રમેશભાઈ માના ભાઈ વણકર ના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મુત્યુ થયું હતું.આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ મુતદેહ કબજો કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે એસટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે..એસટીબસ ને સ્થળ પર મૂકી દેવામાં આવી હતી.અને બસ ભરૂચ ડેપોની હોય અને દાહોદ તરફ જતી હોવાથી તેમાંથી મુસાફરોને ઉતારી અન્ય બસ મારફતે કાલોલ બસ સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં મરણ જનાર રમેશભાઈ માનાભાઈ વણકર રહેઠાણ બોરુગામ વણકર ફળિયું. છેલ્લા તેર વર્ષથી કાલોલ જીઆઇડીસીમા આવેલ ક્રિષ્ના કંપનીમાં કામ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here