પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૦૪ કેસ નોંધાયા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

ગોધરા-હાલોલમાંથી ૨-૨ કેસ મળ્યા, જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક ૫૮ થયો

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા ૪ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૪૦૫૪ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૫૮ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ કેસો પૈકી ગોધરા શહેરમાંથી ૦૨ કેસ તેમજ હાલોલ શહેરમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. આજે કુલ ૦૨ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સાથે કુલ ૩૮૫૫ વ્યક્તિઓને રજા અપાઈ છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૯૭૨ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૮૨ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૮૫૫ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here