પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 12 કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઇમરાન ખાન(કાલોલ)

17 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ,, સક્રિય દર્દીઓનો આંક 183 થયો

કુલ કેસનો આંક 3655 થયો,કોરોનાને પછડાટ આપી 3343 દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના નવા 12 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3655 થવા પામી છે. 17 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 183 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 11 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 05, હાલોલમાંથી ૦2, કાલોલમાંથી 01 અને શહેરામાંથી 03 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2674 કેસ નોંધાયા છે. આજે ગ્રામ્ય વિસ્તારોમાંથી એક જ કેસ મળી આવ્યો છે. ઘોઘંબા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યો છે.
સારવાર બાદ સાજા થતા આજે કુલ 17 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3343 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 183 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here