ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક ૧૫૩ થયો
કુલ કેસનો આંક ૩૫૬૩ થયો,કોરોનાને પછડાટ આપી ૩૨૮૪ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૧ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૫૬૩ થવા પામી છે. ૧૧ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૧૫૩ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૪ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૧૧ અને હાલોલમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૬૦૧ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૭ કેસ મળી આવ્યા છે. જે પૈકી ગોધરા ગ્રામ્યમાંથી ૦૨, હાલોલમાંથી ૦૧, કાલોલમાંથી ૦૩ અને શહેરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા ૯૬૨ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૨૮૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૫૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.