પંચમહાલ જિલ્લાનો “પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી” મેળો ૧૦ ઓક્ટોમ્બર ૨૦૨૨ ના રોજ યોજાશે

ગોધરા, (પંચમહાલ) સંજય સોલંકી :-

પંચમહાલ જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ કાલોલ અને આઈ.ટી.આઈ હાલોલ ખાતે આગામી તારીખ ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી શરૂ થનાર છે. જેમાં જિલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે. આ ભરતી મેળામાં આઈ ટી આઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોને તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું. સદર ભરતી મેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો નીચે આપેલ લિંકમાં રાજ્ય ગુજરાત અને જિલ્લો પંચમહાલ પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. https://dgt.gov.in/appmela2022/candidate_registration.php તેમ તાલીમ સંસ્થા ગોધરાના આચાર્ય એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here