પંચમહાલ : આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરના બી.આર.જી.એફ ભવન ગોધરા ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ બી.આર.જી.એફ ભવન હોલ ગોધરા ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સાથે વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત લાઈવ પ્રસારણનું પણ આયોજન કરાશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દીન દયાળ અંત્યોજન યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગ્રામ્ય અને શહેર સ્વ સહાય જૂથ માટે બેંક લિંકેજ અન્વયે કેમ્પનું આયોજન કરાશે. જેમાં વિવિધ અધિકારીગણ/ મહાનુભાવોના હસ્તક જિલ્લાના સ્વ સહાય જુથના લાભાર્થીઓ અને સંગઠનોને ચેક વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here