પંચમહાલ જિલ્લાકક્ષાએ કલેક્ટર કચેરી ખાતે “EVM-VVPAT નિદર્શન ખુલ્લું મુકાયું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

સામાન્ય મતદારો ઇવીએમ-વીવીપેટની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવી શકશે

આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સામાન્ય મતદારો ઇવીએમ-વીવીપેટની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવે તે હેતુસર ઇવીએમ-વીવીપેટ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાના હેતુસર દરેક જિલ્લા/તાલુકા મથક ખાતેથી કચેરીઓ/જનસેવા કેન્દ્ર ખાતે સ્થાયી “ EVM-VVPAT નિદર્શન તૈયાર કરવામાં આવે છે. જેને અનુલક્ષીને જિલ્લાકક્ષાએ કલેક્ટર કચેરી,ગોધરા ખાતે “ EVM-VVPAT નિદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વધુમાં વધુ મતદારો આ નિદર્શન પ્રક્રિયામાં સહભાગી બની સમગ્ર કાર્યપધ્ધતિથી વાકેફ થાય તે માટે વિવિધ કચેરીઓ ખાતે આવતા મુલાકાતીઓને “ EVM-VVPAT નિદર્શન કાર્ય” ની મુલાકાત લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,ગોધરા તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here