નસવાડી મહાકાલ યુવક મંડળ દ્રારા પી.એસ.આઈ વાઘેલાના હસ્તે આરતી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે મહાકાલ યુવક મંડળ દ્રારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે જે છેલ્લા સાત દિવસ થી ગરબા રમઝટ માણી રહ્યા છે ગરબે ઘૂમી રહયા છે અને શાનદાર આયોજન સાથે ગરબા રમાડવામા આવે છે જેમા નસવાડી મા આવેલ નવા પી.એસ.આઈ દ્રારા ગરબા ગ્રાઉન્ડમાં માતાજીની આરતી કરવામાં આવી હતી અને ભક્તો આ આરતીમાં ઉમટી પડ્યા હતા જ્યારે નસવાડી પી.એસ.આઈ વાઘેલા સાહેબ તથા તાલુકા પ્રમુખ પ્રમુખ ભાવનાબેન ભીલ તથા નસવાડી ગ્રામ પંચાયત ના માજી સરપંચ તથા સંજયભાઈ ડબગર વગરે હાજર હતા જેમા પી.એસ.આઈ વાઘેલાને પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને તમામ લોકો માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને આરતી થયા બાદ પ્રસાદી વહેંચવામાં આવી હતી લોકોએ શ્રધ્ધા સાથે આરતીમા જોડાયા હતા અને ગામ લોકોએ નવા પી.એસ.આઈ ને ઓળખ્યા હતા અને રાત્રે ગરબાની મોજ કરવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યા મા લોકો ગરબા મા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here