નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો જેમા ગામના યુવાનો આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા લોક દરબાર મા ટ્રાફિક ત્યારબાદ સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા તથા પરપ્રાંતિઓ જે વસવાટ કરેછે તેવા લોકો ની પોલીસ સ્ટેશન ખાતે નોંધણી નથી તેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ લોક દરબાર મા પધારેલ એસ.પી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નુ સ્વાગત ગ્રામજનો દ્રારા કરવામા આવ્યુ હતુ અને રોડ પર મસમોટા પડેલા ખાડા વગેરે બાબતે રજૂઆતો કરવામા આવી હતી અને અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડાએ આ રજૂઆતો પર ધ્યાન આપવામા આવશે અને તમારી રજૂઆતો નુ સમાધાન વહેલી તકે થાય તેવા પ્રયાસો કરવામા આવશે હવે જોવુ એ રહ્યુ કે ગામના પ્રશ્નો પર કેટલુ ધ્યાન અપાય છે અને આ તમામ પ્રશ્નો નો ઉકેલ ક્યારે આવશે.