નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એક કુરેશી :-
નસવાડી તાલુકાના ચામેઠા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મયુરભાઈ શાહની ચુનાખાણ ગામે બદલી થતાં ગ્રામજનો તથા શિક્ષક સ્ટાફ દ્વારા વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું મયુરભાઈ શાહ એ લગભગ અઢાર વર્ષ ચામેઠા ગામે ગ્રુપ આચાર્ય તરીકેની ફરજ બજાવી.અને એમની સારી કામગીરી હોવાને કારણે ગ્રામજનો વિદાય સમારંભમાં આવ્યા અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમની બદલી થવાને કારણે લોકોમાં દુઃખની લાગણી જોવા મળી હતી પરંતુ આટલા વર્ષ ચામેઠા ગામે સેવા આપી એ બદલ ગામ લોકો દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો આભાર સાથે લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી આ વિદાય સમારંભ ના કાર્યક્રમમાં ગ્રામજનો તથા પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા ચમરીપીપેર,કોઠીયા.દાજીપુરા, ઈટીયા, મહેમૂદપુરા,લિન્ડા, પાયાકોઈ,ચોસલપુરાનો શિક્ષક સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ગામના સરપંચ નટુભાઈ ચામેઠા દૂધ મંડળીના પ્રમુખ ઈસ્માઈલભાઈ પટેલ તથા મંત્રી યાસીનભાઈ પટેલ તથા એસએમસીના સભ્ય કરિશ્માબેન મન્સૂરી તથા નસવાડીના ટીપીઓ જિલ્લા સહમંત્રી,જિલ્લા શિક્ષણ સમિતિના મંત્રી, તથા સી.આર.સી વગેરે હાજર રહ્યા હતા અને ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દ્વારા મયુરભાઈ શાહને નમી આંખે વિદાય આપવામાં આવી હતી.ઇ