નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
“નસવાડી તા. ના. કેસરપુરા ખાતે વર્ષોથી કોંગ્રેસના વફાદાર ધીરુભાઈ ભીલ ભાજપ પ્રદેસ પ્રમુખ ના હસ્તે કેસરિયો કેસ ધારણ કર્યો “
ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને ભાજપ પ્રદેસ પ્રમુખ સીઆર પાટીલ સાહેબ ના અધ્યક્ષતા હેઠળ કેસરપુરા ગામે કાર્યકર્તા સંમેલન યોજાયો જેમાં કોંગ્રેસ પક્ષના ધીરુભાઈ ભીલ પ્રદેસ પ્રમુખ ના હસ્તે ભાજપનો કેસ પેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો તેની સાથે નસવાડી ખેતીવાડી સમિતિ તેમજ નસવાડી તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત ના કૉંગ્રેસના મોટા ભાગના કાર્યકરો અને સદસ્ય ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો 4.ટર્મ સુધી કોંગ્રેસમાં ધારાસભ્ય રહેલા ધીરુભાઈ ભીલ અને કેટલાક કોંગ્રેસ ના કાર્યકરો ભાજપમાં જોડાતા સંખેડા વિધાનસભા કોંગ્રેસની છાવણી વેરવિખેર થઈ જવા પામી છે જેના કારણ હવે આગામી આવાનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને મોટો ફટકો પડે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે