નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
વાંકલા ગામના ત્રણ યુવાનો કામ અર્થે સેંગપુર થી વાંકલા બાઈક પર સવાર થઈ જતા હતા તે દરમિયાન બાઈક પર થી કાબુ ગુમાવતા બાઇલ ઝાડ સાથે અથડાઈ હતી અને ઘટના સ્થળે જ ત્રણે યુવાનોના મોત નિપજ્યા હતા અને પોલીસને જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેઓને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પરંતુ એકજ ગામના ત્રણ યુવાનોના એક સાથે મોત થતા ગામ માં શોક છવાયો હતો અને આ ઘટનામાં બે સગા ભાઈઓ નું મૃત્યુ નિપજતા ઘરના સર્વે ના પગ નીચેથી જાને જમીન સરકી ગઈ હતી અને મૃત્યુ થનાર સંજયભાઈ મંગળીયાભાઈ નાયક,અજયભાઈ બચુભાઈ નાયક,વિકેશભાઈ બચુભાઈ નાયક આ ત્રણ યુવાનોનું અકસ્માત માં મૃત્યુ થયેલ છે