નસવાડી ચાર રસ્તાથી સ્ટેશન વિસ્તારના ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

નસવાડી ચારરસ્તા થી સ્ટેશન વિસ્તારના રોડ પરના ખાડાઓથી વાહન ચાલકોને ભારે જહેમત ઉઠાવી પડે છે સોની બજાર થી સ્ટેશન સુધીના જે રોડ પરના ખાડા છે તેને પી ડબલ્યુ ડી ખાતાના કર્મચારીઓ આંખ આડા કાન કારી ચાલેછે વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં ધ્યાન આપવામાં આવતુ નથી.
રોડ પરના ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે જ્યારે રજૂઆતો થાય ત્યારે ટ્રેક્ટરથી કોરી જીણી કાપચીનો પાવડર છાટી ખાડાઓ પૂરવમાં આવે છે.
કપચી નો પાવડર પુરયા બાદ વરસાદ પડેછે અને ખાડા જેવા હતા તેવા થઈ જાય છે તો વાહન ચાલકોને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડેછે રોડ ખાતાને વિનંતી કે રોડ પરના ખાડાઓનો કાયમી નિકાલ લાવવા વાહન ચાલકો અને રાહદારોની અપીલ છે જેનાથી અકસ્માત થવાની બીક છે ખાડાઓના કારણે તે અટકે અને મોટો અકસ્માત થાય નહીં તેવી લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here