નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી કન્યા પ્રાથમિક શાળામા ધોરણ આઠ ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામા આવ્યો હતો જેમા શાળાના તમામ શિક્ષકગણ એ રસ લઈ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ આ કાર્યક્રમ મા ધોરણ એક થી લઈ ધોરણ આઠ સુધી ની બાળાઓ એ કલા કૃતિઓ રજુ કરવામા આવી હતી અને કૃતિઓ રજુ કરનારી બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ તૈયાર થઈ આવી હતી અને આઠ મા ધોરણ મા ભણતી બાળાઓને પુરસ્કાર આપી ભાવભીની વિદાય શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા આપી હતી જે બાળાઓ અભ્યાસ માટે આગળ જાય અને સારો અભ્યાસ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા અને કલાકૃતિઓ રજુ કરનાર બાળાઓને પ્રોતાહિત ઇનામ આપવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીનીઓ સારો અભ્યાસ કરે આગળ વધે શાળા, તથા શિક્ષકો, સમાજનું નામ રોશન કરે! અને જે માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે કે પ્રાથમિક શાળાઓ મા સારૂ ભણાવતા નથી તે માસિક્તા તુટે કારણ કે પ્રાથમિક શાળાઓમાં પણ સારો જ અભ્યાસ કરાવવમાં આવેછે જેથી આ વિદ્યાર્થીનીઓ આજે ધોરણ આઠ નો અભ્યાસ પૂર્ણ કરી આગળ નવ મા ધોરણ મા પ્રવેશ લેશે અને શાળાના તમામ શિક્ષકગણ દ્વારા ધોરણ આઠ ની તમામ વિદ્યાર્થિનીઓને આશીર્વાદ આપી વિદાય આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here