નર્મદા ડેમની જળસપાટીમા થતો સતત વધારો જળસપાટી 118.18 મીટરે પહોંચી

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

છેલ્લા સાત દિવસ મા જળસપાટી મા 1.04 મીટર નો નોંધનીય વધારો

પાણીના 23303 કયુસેક ઇનફલો સામે 8118 કયુસેક પાણીનો આઉટ ફલો

નર્મદા ડેમ ખાતે હાલ 4372.38 MCM પાણી નો જથ્થો સંગ્રહિત

રાજય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાઈ રહ્યો છે, નર્મદા ડેમ શા કેચમેનટ એરિયામાં વરસાદ થતા ડેમ ખાતે પાણી ની ભારે આવક થતાં ડેમ હાલ 116.18 મીટર ના લેવલે પહોંચ્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

નર્મદા ડેમ ના ઉપરવાસ માંથી પાણી ની ભારે આવક થતાં ડેમ હાલ આજરોજ સાંજે 5 કલાકે 116.18 મીટર ની સપાટીએ પહોંચ્યો હતો. ડેમ ની જળસપાટી મા પ્રતિ કલાકે સતત વધારો નોધાઇ રહ્યો છે. તા 20 ના રોજ ડેમ ની જળસપાટી 115.14 મીટર ની નોંધાઈ હતી જેમા આજની સ્થિતિ એ 1.04 મીટર નો વધારો થયો છે, જોકે ગત વર્ષે આજનીજ તારીખે નર્મદા ડેમ 120.21 મીટર ની સપાટીએ પહોંચ્યો હતો.

હાલમાં નર્મદા ડેમ ખાતે પાણી ની આવક 22303 કયુસેક થઇ રહી છે જેની સામે આઉટફલો 8118 કયુસેક પાણી નો થઇ રહેલ હોવાનું જાણવા મળ્યું છે. ડેમ ખાતે આજની સ્થિતિ એ 4372.38 મેટ્રિક કયુબીક મીટર પાણી નો જથ્થો સંગ્રહિત છે.જે સમગ્ર ગુજરાત ને પાણી પહોચાડવા માટે પુરતાં પ્રમાણ મા હોય વરસાદ ન પડે તોય ડેમ ખાતે પાણી ન ખુટે એવી હાલની સ્થિતિ છે.જોકે હજી વરસાદ વરસતા ડેમ ની સપાટી મા વધારો થસે એ ચોકકસ જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here