રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
બાળકો ને આપવામા આવતાં ભોજન ની ગુણવત્તા ચકાસી
નર્મદા જીલ્લા ની મુલાકાતે આવેલ નર્મદા જીલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમારે નર્મદા જીલ્લા ની તેઓની મુલાકાત દરમિયાન તિલકવાડા તાલુકામાં ચાલતી આદર્શ નિવાસી શાળા ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને બાળકો ને આપવામા આવતા ખોરાક ની ચકાસણી કરી હતી અને સુચનો આપ્યા હતા.
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત, આદર્શ નિવાસી શાળા મિશ્ર-તિલકવાડા, અને આદર્શ નિવાસી શાળા ગરૂડેશ્વરની આકસ્મિક મુલાકાત નર્મદા જીલ્લા પ્રભારી મંત્રી ભિખુસિહજી પરમારે લીધી હતી. જેમાં રહેવા જમવાની સુવિધા કલાસરૂમ, રસોડું અને ભોજન સામગ્રીની ચકાચણી કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ભોજનની ગુણવત્તા પણ ચકાચી હતી અને કેટલાક સુચનો કર્યા હતા.