નર્મદા જીલ્લામા તા. 7 મીના રોજ મમતા દિવસે રૂટીન ઇમ્યુનાઇઝેશનની કામગીરીને લીધે વેક્સીનેશનની કામગીરી મોકૂફ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

૧૮ વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓ માટે કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી વેક્સીનેશનની કામગીરી હાલ ચાલી રહેલ છે. જે અંતર્ગત રાજ્યકક્ષાએથી મળેલી સુચના મુજબ તા. ૭ મી જુલાઇ, ૨૦૨૧ ને બુધવારના રોજ મમતા દિવસ અને રૂટીન ઇમ્યુનાઇઝેશનની કામગીરી કરવાની થતી હોઇ, નર્મદા જિલ્લા ખાતે તા.૭ મી જુલાઇના રોજ કોવિડ-૧૯ વેક્સીનેશનની કામગીરી મોકૂફ રખાઇ હોવાની જાહેર નોંધ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, નર્મદા તરફ થી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here