નર્મદા જિલ્લામાં તા.૧૬ મી ના રોજ ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 3877 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા વાસીઓને આજે રાહત એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૩ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨૯ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૩, હોમ આઇસોલેશનમા ૧૪૫ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૭ દરદીઓ સહિત કુલ-૨૯૪ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૪,૯૬૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૩૪૫ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૧૬ મી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ-૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે જ જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા વધીને 3877 ઉપર પહોંચી છે રાજપીપળા નગર મા આજે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૪૫ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૯ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૩ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૭ દરદીઓ સહિત કુલ-૨૯૪ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૧૦ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૩૬ સહિત કુલ-૯૪૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૧૬ મી ના રોજ શંકાસ્પદ-૦૨ દરદીઓના મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૪૦, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૨૭ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૨ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૬ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૪,૯૬૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૩૪૫ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૭૧૪૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૧૬૯૩ લોકોને વિતરણ કરાઇ છે.

        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here