રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
પતિ પત્ની વચ્ચે અવારનવાર થતાં ઝઘડામાં પતિદેવે પત્નીના માથામાં સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચાર
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામે ઘાઢ નિંદ્રામાં પોઢેલી પોતાની પત્નીને પતિદેવે મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાગબારા તાલુકાના રાણીપુર ગામે રહેતો આરોપી રાયસીંગ પોહલ્યાભાઈ પાડવી અને તેની પત્ની અરુણાબેન પાડવી વચ્ચે અવારનવાર ઘરમાં ઝઘડાઓ થતા આ ઝઘડા ઓ એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગત તારીખ છઠ્ઠી ના રાત્રીના જમી પરવારી ને પોતાના ઘરના આગલા રૂમમાં પતિ પત્ની સુઇ ગયા હતા, ત્યારે રાત્રિના સમયે પતિદેવ પોતાની પત્નીની હત્યા કરવાના ઇરાદે ઉઠયો હતો અને તેના ઘરમાં પડેલ સળિયા વડે પત્નીને માથાના ભાગે કપાળના ભાગે અને કાનના ભાગે સળિયાના ફટકા મારતા પત્નીને લોહી લુહાણ કરી નાખતા પત્ની નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પતિદેવે પોતાની પત્નિ નીજ હત્ય કરી હતી.
આ બનાવની જાણ સાગબારા પોલીસને થતા પોલીસે આરોપી રામસિંગ પોહલ્યાભાઈ પાડવી ની સામે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી તેની હત્યા કરવાના મામલે હત્યા નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.