ધોરાજી,(રાજકોટ) રાજુભાઈ બગડા :-
ધોરાજી પંચનાથ મહાદેવ મંદિર પાસે આવેલ સફુરા નદીના ચેકડેમ માં એક અજાણ્યા પુરૂષની લાશ હોવાનું જાણ કરી માનવસેવાના યુવક મંડળને કરતાં માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા તેમજ સાગર સોલંકી ઘટનાસ્થળે જઈને જોતા ચેકડેમમાં દૂર લાશ તરતી હતી અને ધર્મેન્દ્ર બાબરીયા પાણીમાં કૂદી એક કલાકની જહેમત બાદ લાશને પાણીની બહાર કાઢીને ચેક કરતા મરણ જનાર અજાણ્યા પુરૂષના મોઢા પર માછલીઓ ખાઈ ગયેલ હતી અને લાશને માનવસેવા ની એમ્બ્યુલન્સમાં ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ અને મરણ જનાર અજાણ્યા પુરુષનુ ચોક્કસ કારણ નજાણવા મળેલ એટલે ફોરેન્સિક લેબોરેટરીમાં પીએમ માટેરાજકોટ ખસેડાયેલ છે અને આબનાવ ની તપાસ કરતાં બીટ જમાદાર હિતેશભાઈ ગરેજા ચલાવી રહ્યા છે.