દિયોદર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
આજે દિયોદર મુકામે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ખૂબ સુંદર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં દિયોદર તાલુકાના દરેક સમાજના અગ્રણીઓએ પરશુરામ ભગવાનની શોભાયાત્રા નું સન્માન કર્યું તેમજ સેવાકીય કેમ્પનું આયોજન કરી ખુબ સુંદર સેવાઓ પૂરી પાડી સમસ્ત ભૂદેવ સમાજ એ ખૂબ આનંદ અને ઉલ્લાસથી શોભાયાત્રાનો સમાપન ગજાનન ગૌશાળામાં મહાઆરતીનું આયોજન કરી પૂર્ણાહુતિ કરી