દામાવાવ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશ રાજયના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , દામાવાવ પો.સ્ટે.ગુ.ર.નં .૧૧૨૦૭૦૭૭૨૧૦૦૨૫ / ૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫ એ , ૬૫ ઇ , ૯૮ ( ૨ ) , ૧૧૬ બી , ૮૧ ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિલુભાઇ શંકરભાઇ નાયક રહે . ઉમરવાડા તા.કઠીવાડા જી . અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) નાનો હાલમાં માલુ – કાંટુ ચોકડી પાસે ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી આઇ.એ.સિસોદીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દામાવાવ પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાફેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરી સદરી આરોપીને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોપવમાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here