ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
વિદ્યાર્થીઓ-વાલીઓ, અધ્યાપકોને ઓનલાઈન માધ્યમથી જોડાવા અપીલ
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે તા. 11/06/2021ના રોજ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ઓનલાઈન માધ્યમથી યોજાશે. આ પદવીદાન સમારોહ સવારે 10.30 કલાકે શરૂ થશે. જે ધ્યાને લઈ પદવી મેળવવા અરજી કરનારા તમામ વિદ્યાર્થીઓને તથા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તથા પ્રવર્તમાન વિદ્યાર્થીઓને સમયસર ઓનલાઈન માધ્યમથી જોડવા વિનંતી કરાઈ છે. પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ એકાઉન્ટ પર જઈ ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકાશે.