તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના અગર ગામ ની સિમ વિસ્તારમાં આજ રોજ વહેલી સવારે યુવક ની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના મૂળ ઉચાદ ગામના વતની ભીલ કમલેશભાઈ તેઓના લગ્ન તિલકવાડા તાલુકાના અગર ગામની ભીલ મુકેશભાઈ મનજીભાઈ ની દીકરી સાથે થયા હતા એટલે કે ભીલ કમલેશ અગગર નો જમાઈ હતો ગામ લોકોના જણાવ્યા મુજબ હાલ તે વડોદરા દશરથ પુરામાં રહેતો હતો ભીલ કમલેશ ગત રોજ ઊંચાદ થી અગર ગામે સાસરીમાં ગયો હતો અને આજે વહેલી સવારે તેઓ અગર ગામ ની સીમ વિસ્તારમાંથી ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવતા તેને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ મૃતકના પરિજનોને થતાં તેઓ તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે કમલેશ નું મૃત્યુ થયું તો અમને તેના સાસરી પક્ષ વારોએ જાણ પણ નથી કરી અને તિલકવાડા દવાખાને મૂકીને જતા રહ્યા આ આત્મ હત્યા નથી એનું મર્ડર કરવામાં આવ્યું છે તેવો અમ ને સક છે જેથી આ ઘટના ની સચોટ તપાસ કરવામાં આવે ત્યાર બાદ જ પોસ્ટ મોર્ટમ કરવા દેવામાં આવશે તેમ જણાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતાં તિલકવાડા પોલીસ ના P I એમ.બી વસાવા પોલીસ કાફલા સહિત ઘટના સ્થળે દોડી ને સમગ્ર મામલો થાળે પાડી ને મૃતકના પરિજનોને સમજાવ્યા હતા અને પોસ્ટ મોર્ટમ ની કામગીરી શરૂ કરાવીને યોગ્ય તપાસ થશે તેની પૂરેપૂરી ખાત્રી આપી હતી.