નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
તણખલા થી નસવાડી ચાલતી સંજરી મીની બસ અચાનક સ્ટેરિંગ લોક થતા રેલવે ફાટક નજીક ખાડામાં ઉતરી પડતા અફરા તફરી થઈ ગઈ હતી સદ નસીબે બસમાં બેસનાર પેસેન્જર તથા ડ્રાયવર કંડકટર ને કોઈ ઇજા પોહચી નથી અને જાનહાની પણ થઈ નથી અને આ બનાવની જાણ થતા લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને બસ ઉતરી પડતા બેસેલા પેસેન્જરો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અંદરથી બહાર આવ્યા બાદ પેસેન્જરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ખાડામા ઉતરી ગયેલી બસને જેસીબી ની મદદ થી બહાર કાઢવામાં આવી હતી.